મૈયામેરુ ધામ , સમંડા તા.નલિયા જી. કચ્છ
અબડાસા પેટા ચૂંટણી દરમ્યાન સમંડા ગામમાં આવેલ મૈયામેરૂ ધામમાં રાત્રિ રોકાણ કરેલ હતું.આ આશ્રમનું નિર્માણ ઉખેડા ગામના આગેવાન અને પૂર્વ સરપંચ શ્રી રણુભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે. જેઓના દ્વારા ગામના તમામ મંદિરોમાં રોજ સવારે નિત્ય પૂજા અર્ચના કરવામાં આવે છે . અહીં તેમના કુળદેવી માલણ માતાજીના મંદિરની સાથે સચ્ચિયાય માતાજી અને રણુજા ના રાજા બાબા રામદેવ પીરનું મંદિર આવેલ છે. આશ્રમમાં સ્થાનિક યુવા કાર્યકર ભાઈ Rajbha Sodha Samanda અને પૂજારી દ્વારા દેખરેખ તેમજ સારસંભાળ લેવામાં આવે છે.સવારે 4 વાગ્યાથી જ આરતી અને આસપાસના તમામ મંદિરમાં દીવા તથા ફૂલ ચડાવવાના કામથી દિવસની શરૂઆત થાય. ત્યારબાદ રોકાયેલ ભાવિકો માટે ચા નાસ્તાની સગવડ કરવામાં આવે છે. ખૂબ જ પ્રેમ અને આદરભાવ દ્વારા આવેલ સાધુ સંતો અને ભાવિકોની અહી સેવા કરવામાં આવે છે.અહી વાર તહેવારે સુંદર ભજન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવે છે. માતાના મઢ જતા નલિયા હાઇવે પર ઊખેડા ગામથી ડાબી બાજુએ 5 કિમી દૂર સમંડા ગામે આ આશ્રમ આવેલ છે.