Sunday 16 August 2020

વસ્તાનજી મહાદેવ : નાગની ફેણ પર આવેલ મંદિર

વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે.

આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ  કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે.

સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે.

પૌરાણિક વાર્તા પ્રમાણે  ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની  આગતા સ્વાગતા થઈ અને એકી સાથે આટલા બધા દેવી દેવતાઓના આવતા ધરતી માં માટે અહીંનો ભાર ઉચકો કઠિન થતા  ભગવાન વિષ્ણુજી દ્વારા તેમના નાગને આ જગ્યાનો ભાર ઉચકવાનું કહેતા ધરતી માં ને ભાર ઉચકવમાં રાહત થઈ હતી એના પરથી એવું કહેવાય છે કે આ મંદિર નાગની ફેણ પર બનેલું છે.

વિશાલ પહાડથી ઘેરાયેલ આ ચમત્કારી મંદિર ચોમાસાની ઋતુમાં પૂરબહારમાં દીપી ઉઠે છે , ચારેકોર જોવા મળતી વનરાજી મનને ટાઢક આપે છે.આ સાથે જ પથ્થરો વચ્ચે વહેતા ખળખળ ઝરણાં એક આહલાદક અનુભવ કરાવે છે.

આ ઉપરાંત સાધુ મહાત્માઓ માટે તપ કરવા માટેની ગુફા ત્યાં  જોવા મળે છે.અહીં આબુરાજ પર્વતની પરિક્રમાંનું એક અલગ જ મહત્વ છે.

જય આબુરાજ....

Saturday 15 August 2020

ધોની , સિર્ફ નામ હી કાફી હૈ!!!

 ધોની એટલે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત. કેટલીય વાર હારની બાજી જીતમાં ફેરવવાની એની કળાએ ભારતીયોના દિલ જતી લીધા હતા.એ ફાઇનલમાં જોગિંદર શર્માને છેલ્લી ઓવર આપવાની વાત હોય કે પછી ઇશાંત શર્મા, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા,યુઝવેન્દ્ર ચહલ, પંડ્યા બંધુઓને સતત મોટીવેટ કરીને 100% પરફોર્મન્સ આપવાની વાત હોય, બાંગ્લાદેશ સામેની ફાઇનલ મેચના ફાઇનલ બોલે ગલવ્ઝ વગર કિપિંગ કરવી એવી અનેક યાદોનો બુકે એટલે MSD.

વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા એટલે શું એનું ઉત્તમ ઉદાહરણ ધોની છે.દરેક પરિસ્થિતિમાં એક જ ભાવ ,  ન  ચહેરા પર કોઈ તણાવ કે ન બોડી લેંગ્વેજમાં કોઈ અસર.એ ટુર્નામેન્ટ જીતને ટ્રોફી સાથી ખેલાડીઓને સોંપી દીકરી જોડે રમવા જતો રહે અને ટુર્નામેન્ટની ફાઇનલ હારીને એજ કેપ્ટન ફૂલની જેમ પાછો પેવેલીયનમાં પરત ફરે. કેવી રીતે ટીમ બિલ્ડ કરવી અને કોનો ક્યાં સદુપયોગ કરવો એમાં સંપુર્ણ મહારથી એટલે જ ઘણીવાર એક્સપર્ટ પણ ચોંકી જતા અને પછી એ સફળ નિર્ણયની ફેવરમાં ડિબેટ પણ કરે.

હેલિકોપ્ટર શોટ અને વિકેટ પાછળ સ્ટમપિંગ તથા રન આઉટ કરવાની સ્ટાઇલ લગભગ હવે જોવા નહીં મળે જ એવું માનવું રહ્યું.એના માટે હરહમેશ યાદ રહેશે.

અંતમાં , ગમે તેવી મેચને અંત સુધી લઈ જઈ પોતાની આવડત અને તાકાત પર ફિનિશ કરવાની કળાને કારણે ક્રિકેટ વિશ્વમાં એક ઉમદા મેચ ફિનિસરની છાપ અમીટ રહેશે.

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...