ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવ પર કાબુ રાખવાની ક્ષમતા. લલાટે રેખાઓને ઘસવી પડી છે, ઘણી વેળાઓને હસવી પડી છે, ચકાસી છે ઘણી ધીરજ ધરીને, ઘણી આશાઓને કસવી પડી છે. - સાબિર પટવા ધીરજ,ધૈર્ય, Patience એ વર્તમાન સમયમાં સૌથી આવશ્યક ગુણ છે.સતયુગ થી લઈને હાલના ડીઝીટલ યુગ દરમ્યાન ધીરજ નું સવિશેષ મહત્વ રહ્યું છે.આપણા બધા જ ધર્મગ્રંથોમાં આ અંગે વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરાયો છે.જિંદગી જીવવાની જડીબુટ્ટી છે ધીરજ. આપણે સૌએ જીવનમાં કપરા સમયનો અનુભવ કર્યો હશે આવા સમયે કોઈ એકમાત્ર પ્રેરકબળ હોય તો એ છે ધૈર્ય.સારા કે ખરાબ સમયે,માન-અપમાન, પદ-પ્રતિષ્ઠા, યશ -કીર્તિ કે આર્થિક ,સામાજિક તથા રાજકીય ક્ષેત્રે દરેક જગ્યાએ ધીરજ એ ચાલકબળ છે.એ સતત આપણને આપણી જાત સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે. મહાભારત,રામાયણ થી લઈને પંચતંત્રની વાર્તાઓ દ્વારા આપણે ધીરજ ધરવાનું મહત્વ જાણી શકીએ છીએ.જીવનના નબળા સમયે કેવી રીતે ટકી રહેવું એ આપણને આ કથાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે.આ ઉપરાંત આપણી આસપાસ એવા કેટલાય ઉદાહરણો મોજુદ છે જે સતત ધીરજ નુ જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવે છે.જેમ કે કરોળિયો . કરોળિયો એ પોતાનું જાળું...