Posts

Showing posts from 2020

ગીતા જયંતિ

Image
#ગીતા_જયંતિ માગશર સુદ અગ્યારસ એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી . આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે. ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે.  કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં બે પ્રચંડ સેનાઓની મધ્યમાં ફક્ત ૪૫ મિનિટમાં ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું .  ભગવદગીતા સમજવા માટે વિદ્વાન હોવું એવી કોઈ લાયકાત નથી , ગીતામાં જ ચોથા અધ્યાયમાં ભગવાન જણાવે છે :      भक्तः असि मे सखा च इति रहस्यम् हि एतत् उत्तमम् ॥ " તું મારો ભક્ત છે અને મિત્ર છે તેથી આ ઉત્તમ રહસ્ય હું તને જણાવું છું.  'एकं शास्त्रं देवकीपुत्र गीतं' -     શાસ્ત્ર એક જ છે , જેનું ગાયન દેવકીપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું. ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન દ્વારા  મોહ અને વિષાદથી ગ્રસ્ત એવા નિરાશ અર્જુનનો મોહભંગ ભગવાન કરે છે. અંતમાં,અધ્યાય ૧૮ ના શ્લોક ૬...

મૈયામેરુ ધામ , સમંડા તા.નલિયા જી. કચ્છ

Image
અબડાસા પેટા ચૂંટણી દરમ્યાન સમંડા ગામમાં આવેલ મૈયામેરૂ ધામમાં રાત્રિ રોકાણ કરેલ હતું.આ આશ્રમનું નિર્માણ ઉખેડા ગામના આગેવાન અને પૂર્વ સરપંચ શ્રી રણુભા સોઢા દ્વારા કરવામાં આવેલ છે. જેઓના દ્વારા ગામના  તમામ મંદિરોમાં રોજ સવારે નિત્ય પૂજા  અર્ચના કરવામાં આવે છે . અહીં તેમના કુળદેવી માલણ માતાજીના મંદિરની  સાથે સચ્ચિયાય માતાજી અને રણુજા ના રાજા બાબા  રામદેવ પીરનું મંદિર આવેલ છે.  આશ્રમમાં સ્થાનિક યુવા કાર્યકર ભાઈ Rajbha Sodha Samanda   અને પૂજારી દ્વારા દેખરેખ તેમજ સારસંભાળ લેવામાં આવે છે.સવારે 4 વાગ્યાથી જ આરતી અને આસપાસના તમામ મંદિરમાં દીવા તથા ફૂલ ચડાવવાના કામથી દિવસની શરૂઆત થાય. ત્યારબાદ  રોકાયેલ ભાવિકો માટે ચા નાસ્તાની સગવડ કરવામાં આવે છે. ખૂબ જ પ્રેમ અને આદરભાવ દ્વારા આવેલ સાધુ સંતો અને ભાવિકોની  અહી સેવા કરવામાં આવે છે.અહી વાર તહેવારે સુંદર ભજન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવે છે. માતાના મઢ જતા નલિયા હાઇવે પર ઊખેડા ગામથી ડાબી બાજુએ 5 કિમી દૂર સમંડા ગામે આ આશ્રમ આવેલ છે.

વસ્તાનજી મહાદેવ : નાગની ફેણ પર આવેલ મંદિર

Image
વાસ્તનજી મહાદેવનું મંદિર આબુરાજ પર્વતમાળામાં ગુરુશીખરની નીચેના ભાગે ઇશરા ગામમાં આવેલ અતિ પૌરાણિક મંદિર છે.આબુરોડથી સ્વરૂપગંજ તરફ જતા ડાબી બાજુએ અંદાજે 20 કિમી જેટલું અંદર ઇશરા ગામ આવેલ છે. આ અતિ પૌરાણિક મંદિરની જગ્યામાં શમશેરગિરિજી મુની મહારાજે કઠોર તપ કરેલ છે.અહીં મુની મહારાજની પ્રતિમા જોવા મળે છે , આ પ્રતિમા મેં જોયેલ અન્ય પ્રતિમાઓ  કરતા થોડી વિશિષ્ટ પ્રકારની દેખાવમાં છે.મુની મહારાજનું મુખ થોડું ડાબી બાજુએ ઢળેલું જોવા મળે છે. સ્થાનિક પૂજારીજી જોડે સંવાદ કરતા જાણવા મળ્યું કે એક જ સ્થાને ભગવાન મહાદેવજી અને વિષ્ણુજીની પ્રતિમા જોવા મળતી હોય એવું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે.અહી એક નાની ગુફામાં પ્રવેશ કરતા જ અવિસ્મરણીય અનુભવ થાય છે . આ મંદિરમાં પહેલા શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુજીની પૂજા કરાય છે.આ સાથે જ ગરુડ ભગવાનની પ્રતિમા પણ જોવા મળે છે . આ મંદિર ખરેખર અજોડ છે. પૌરાણિક વાર્તા પ્રમાણે  ભગવાન શિવજી એ 33 કરોડ દેવી દેવતાઓને આ સ્થળે આમંત્રણ આપીને બોલાવ્યા હતા.બધા જ દેવતાઓ અહીં આવ્યા હતા ભગવાન શિવ દ્વારા સૌની  આગ...

ધોની , સિર્ફ નામ હી કાફી હૈ!!!

Image
 ધોની એટલે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત. કેટલીય વાર હારની બાજી જીતમાં ફેરવવાની એની કળાએ ભારતીયોના દિલ જતી લીધા હતા.એ ફાઇનલમાં જોગિંદર શર્માને છેલ્લી ઓવર આપવાની વાત હોય કે પછી ઇશાંત શર્મા, રૈના, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા,યુઝવેન્દ્ર ચહલ, પંડ્યા બંધુઓને સતત મોટીવેટ કરીને 100% પરફોર્મન્સ આપવાની વાત હોય, બાંગ્લાદેશ સામેની ફાઇનલ મેચના ફાઇનલ બોલે ગલવ્ઝ વગર કિપિંગ કરવી એવી અનેક યાદોનો બુકે એટલે MSD. વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા એટલે શું એનું ઉત્તમ ઉદાહરણ ધોની છે.દરેક પરિસ્થિતિમાં એક જ ભાવ ,  ન  ચહેરા પર કોઈ તણાવ કે ન બોડી લેંગ્વેજમાં કોઈ અસર.એ ટુર્નામેન્ટ જીતને ટ્રોફી સાથી ખેલાડીઓને સોંપી દીકરી જોડે રમવા જતો રહે અને ટુર્નામેન્ટની ફાઇનલ હારીને એજ કેપ્ટન ફૂલની જેમ પાછો પેવેલીયનમાં પરત ફરે. કેવી રીતે ટીમ બિલ્ડ કરવી અને કોનો ક્યાં સદુપયોગ કરવો એમાં સંપુર્ણ મહારથી એટલે જ ઘણીવાર એક્સપર્ટ પણ ચોંકી જતા અને પછી એ સફળ નિર્ણયની ફેવરમાં ડિબેટ પણ કરે. હેલિકોપ્ટર શોટ અને વિકેટ પાછળ સ્ટમપિંગ તથા રન આઉટ કરવાની સ્ટાઇલ લગભગ હવે જોવા નહીં મળે જ એવું માનવું રહ્યું.એના માટે હરહમેશ યાદ રહે...

बाज - एक प्रेरणा।

बाज लगभग 70 वर्ष जीता है .... परन्तु अपने जीवन के 40वें वर्ष में आते-आते उसे एक महत्वपूर्ण निर्णय लेना पड़ता है । उस अवस्था में उसके शरीर के 3 प्रमुख अंग निष्प्रभावी होने लगते हैं ..... पंजे लम्बे और लचीले हो जाते है, तथा शिकार पर पकड़ बनाने में अक्षम होने लगते हैं । चोंच आगे की ओर मुड़ जाती है, और भोजन में व्यवधान उत्पन्न करने लगती है । पंख भारी हो जाते हैं, और सीने से चिपकने के कारण पूर्णरूप से खुल नहीं पाते हैं, उड़ान को सीमित कर देते हैं । भोजन ढूँढ़ना, भोजन पकड़ना, और भोजन खाना .. तीनों प्रक्रियायें अपनी धार खोने लगती हैं । उसके पास तीन ही विकल्प बचते हैं.... 1. देह त्याग दे, 2. अपनी प्रवृत्ति छोड़ गिद्ध की तरह त्यक्त भोजन पर निर्वाह करे !! 3. या फिर "स्वयं को पुनर्स्थापित करे" !! आकाश के निर्द्वन्द एकाधिपति के रूप में. जहाँ पहले दो विकल्प सरल और त्वरित हैं, अंत में बचता है तीसरा लम्बा और अत्यन्त पीड़ादायी रास्ता । बाज चुनता है तीसरा रास्ता .. और स्वयं को पुनर्स्थापित करता है । वह किसी ऊँचे पहाड़ पर जाता है, एकान्त में अपना घोंसला बनाता है .. और तब स्वयं को पुनर्स्थापित ...

આત્મવિશ્વાસ , Self Confidence

“આત્મવિશ્વાસ માણસ ને ક્યાં થી ક્યાં પહોંચડી દે છે” એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોકો તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડીટ આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ કડક ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. લેણિયાતો ની રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે. અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો. “હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ધ માણસે કહ્યું. બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણસે કહ્યું “હું તને મદદ કરી શકું છું.” તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્યું: “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો. બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી John D. Rockefeller (કે જે દુનિયાનો સૌથી ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓમાનો એક હતો ) ના નામે. બિઝનેસમેને વિચાર્યું...

જેસોર ગિરિમાળા - કરનેશ્વર મહાદેવ, બદ્રીનાથજી મંદિર

Image
ડુંગરા સો પરમેશ્વરા .અમીરગઢ નજીકની જેસોરની ગિરિમાળા એટલે તપ અને તપસ્વીઓની ભુમી. પૂજ્ય ડુંગરપુરીજી મહારાજ ,પૂજ્ય શિવગીરીજી બાપુ થી શરૂ કરીને વર્તમાનમાં પૂ. મુનિજી મહારાજ,પૂ.કાલા બાપજી ,પૂ.ચંદનગીરી જેવા સંતોની ભુમી. આ પર્વતમાળા આજે ય સાધુ સંત મહાત્માઓ તપ અને યોગ સાધના કરી રહ્યા છે જેઓનાં દર્શન માત્રથી પાવન થઈ જવાય. આ સંત મહાત્માઓ દ્વારા થઈ રહેલા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ આ વિસ્તારમાં અનુભવાય છે.તેઓની પ્રેરણા નીચે અનેક મંદિર બની રહ્યા છે જેમાનું એક મંદિર એટલે માનપુરીયા નજીક ટેકરી ઉપર આવેલું કરણેશ્વર મહાદેવ અને બદ્રીનાથજી નું મંદિર. એક નાના પાણીના વહેળમાંથી પસાર થયા બાદ ટેકરી પરની ગુફામાં બિરાજેલા આ કરણેશ્વર મહાદેવજીનું મંદિર ખૂબ જ પ્રાચીન જણાય છે.ત્યાં એક વેરી (વાવ) છે . એવી લોકવાયકા છે કે આ વેરી મતલબ વાવ માંથી ગમે તેવા દુકાળના દિવસોમાં પણ પાણી ઓછું થતું નથી જાણે કે સ્વયંભૂ માં ગંગા. આ મીઠા પાણીની પવિત્ર વેરી આ વિસ્તારના લોકો માટે પણ પૂજનીય છે. ઉપરાંત ત્યાં એક પથ્થરની શીલા સ્વયં ગોગ મહારાજની અનુભૂતિ કરાવે છે. ત્યારબાદ બદ્રીનાથજી નું સુંદર મંદિર નિર્માણ પામીને તૈયાર છે.કોરોનાને...