सफल आदमी के चेहरे पर उसकी उम्र की जगह लिखा होता है सफल आदमी वह नायक बनकर निकलता है अपने बचपन से और याद करता है उन्हें जो पड़े रह गए वहीं के वहीं कि एक वही निकल पाया ऊपर केवल अपन...
કુંડેશ્વર મહાદેવ , માઉન્ટ આબુના ગુરુ શિખરની નીચેના ભાગે , ઊત્રજ ગામ થી નજીક આવેલ આ પૌરાણિક મહાદેવજીનું સ્થાનક છે.અહી આસ્થા સાથે પ્રકૃતિના દર્શન થાય છે. આબુરાજ પર્વતમાં આવેલ આ મંદિર જવા માટે અસવા,ઉડવારિયા થઈને અંદાજે 7 કિમી જેટલા જંગલ વિસ્તારમાંથી જતા આ પવિત્ર મંદિર આવે છે.મંદિરની આસપાસમાં નાના ઝરણાં તેમજ ધોધ સાથે સાથે અનેક પ્રકારની વન ઔષધિઓ અહીંયા જોવા મળે છે.મોટા મોટા ઝાડ તેમજ પથ્થરો થી ઘેરાયેલું આ મંદિર જીવ ને શિવ સાથે મેળવે છે. આબુરાજમાં વસતા સાધુ મહાત્માઓના તપથી આ સ્થાનક પવિત્ર થયેલ છે. આસપાસના લોકો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે.પક્ષીઓના કલરવ અને વાનર સેનાની હુપાહુપથી આસપાસનું વાતાવરણ મનમોહક બની રહે છે. કુંડેશ્વર મહાદેવ અહી શ્રદ્ધાની સાથે પ્રકૃતિનું સૌંદર્ય અનુભવાય છે.
જગતમાં આપણે સૌ એક નિશ્વિત સમયાવધિ લઇને આવ્યા છીએ. એ પછી મનુષ્ય હોય કે કોઇ પશુ પક્ષી હોય કે કોઇ ઘરવપરાશની વસ્તુ કે દવા હોય કે પછી કોઇ વાહન. આપણે સૌ આ નિયત સમય મર્યાદામાં પોતાનુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે આપણે સૌ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓની Expiry Date જોતાં હોઇએ છીએ. આ સમયાવધિ પહેલાં જે તે ચીજવસ્તુઓ ઉપયોગમાં લઇ શકાય તેમ હોવાથી આપણે એ સમાયવધિ પૂર્ણ થાય તે અગાઉ તેનો ઉપયોગ કરી શકીએ છીએ.આવી જે રીતે Due Date હોય છે તે પૂર્ણ થાય એ અગાઉ જે તે બીલની ચૂકવણી કરવાની થતી હોય છે ત્યારબાદ તેના પર દંડની જોગવાઇઓ લાગુ કરવામાં આવતી હોય છે. આમ, Expiry Date / Due Date / Best Before Date એ સામાન્યતા દૈનિક જીવનમાં સમાઇ ગયેલ છે. પરંતુ આ વાત માત્ર ચીજવસ્તુઓ કે કોઇ બીલની ચુકવણી પુરતી જ નથી હોતી તે આપણા જીવનને પણ લાગુ પડે છે. આપણા સૌના જીવનની એક Due Date / Expiry Date પરમતત્વ દ્રારા નિયત કરવામાં આવી છે.આ તારીખની ચોક્ક્સ જાણ હોતી નથી પરંતુ એ તિથિ છઠ્ઠીનાં લેખ સાથે લખાઇ ગયેલી જરૂર હોય છે. જેમ Best Before Date હોય છે , એમ આપણે પણ આપણને મળેલ આ સમયાવધિ...
Comments
Post a Comment