ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવ પર કાબુ રાખવાની ક્ષમતા. લલાટે રેખાઓને ઘસવી પડી છે, ઘણી વેળાઓને હસવી પડી છે, ચકાસી છે ઘણી ધીરજ ધરીને, ઘણી આશાઓને કસવી પડી છે. - સાબિર પટવા ધીરજ,ધૈર્ય, Patience એ વર્તમાન સમયમાં સૌથી આવશ્યક ગુણ છે.સતયુગ થી લઈને હાલના ડીઝીટલ યુગ દરમ્યાન ધીરજ નું સવિશેષ મહત્વ રહ્યું છે.આપણા બધા જ ધર્મગ્રંથોમાં આ અંગે વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરાયો છે.જિંદગી જીવવાની જડીબુટ્ટી છે ધીરજ. આપણે સૌએ જીવનમાં કપરા સમયનો અનુભવ કર્યો હશે આવા સમયે કોઈ એકમાત્ર પ્રેરકબળ હોય તો એ છે ધૈર્ય.સારા કે ખરાબ સમયે,માન-અપમાન, પદ-પ્રતિષ્ઠા, યશ -કીર્તિ કે આર્થિક ,સામાજિક તથા રાજકીય ક્ષેત્રે દરેક જગ્યાએ ધીરજ એ ચાલકબળ છે.એ સતત આપણને આપણી જાત સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે. મહાભારત,રામાયણ થી લઈને પંચતંત્રની વાર્તાઓ દ્વારા આપણે ધીરજ ધરવાનું મહત્વ જાણી શકીએ છીએ.જીવનના નબળા સમયે કેવી રીતે ટકી રહેવું એ આપણને આ કથાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે.આ ઉપરાંત આપણી આસપાસ એવા કેટલાય ઉદાહરણો મોજુદ છે જે સતત ધીરજ નુ જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવે છે.જેમ કે કરોળિયો . કરોળિયો એ પોતાનું જાળું...
#રાષ્ટ્રીય_યુવા_દિન. ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન. ૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે. બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો. સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચ...
Comments
Post a Comment