વટેશ્વર મહાદેવ , સિદ્ધપુરથી ૬ કિમી દૂર દેથળી ગામે પૌરાણીક સ્વયંભૂ વટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સજ્જ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
આ સ્થાનકે દધિચી ઋષિમુનિનું પ્રાચીન મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે. સાથે જ પવિત્ર સૂર્યકુંડ તેમજ પાંડવોનું આશ્રય સ્થાન આવેલું છે હજારો વર્ષ પૂર્વે અહીં દધિચી ઋષિએ તપ કર્યું હતું. અહીં પાંડવોના ગુપ્તવાસ દરમિયાન મહર્ષિ વેદવ્યાસે બોધપાઠ આપ્યો હતો પાંડવો લક્ષાગ્રહમાંથી નીકળી દેથળી સરસ્વતી નદીને કિનારે આવેલ વટેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા હતા. અહીં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને પાંચ ગુફાઓ બનાવી હતી. જે આજે પણ હયાત છે. જેમાં દ્રૌપદી અને કુંતામાતાનું દેવાલય આવેલુ છે.
No comments:
Post a Comment