Wednesday 24 August 2022

બનાસ નદી, બનાસકાંઠાની લોકમાતા

Banas River

રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી… 

બનાસકાંઠાની લોકમાતા , આપણી બનાસ

અજાણ્યાં અદ્ભુત રહસ્યોને
પોતાના ઉદરમાં વહન કરનારા
એ મહાસાગરો કરતાં તો
મને વહાલી લાગે છે,
મારી ઓળખીતી-પાળખીતી નદી '' બનાસ '' ...

બનાસ લોકોની આશા,
 વહેતી બે કાંઠે નદી પર્ણાશા....
  
   રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં ઉદેપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળી ગુજરાતમાં અમીરગઢ સરોત્રા પાસેથી ઈશાન ખૂણામાં પ્રવેશે છે. આ નદી ૧૮ કિ.મી. જંગલમાં વહે છે. તેના પછી દાંતીવાડા ડેમમાં તેનું પાણી સંગ્રહાય છે. બનાસ નદી(પર્ણાશા) કુંવારિકા છે. 
બનાસકાંઠામાં ઊતરી કચ્છના રણમાં પથરાઈ જાય છે. 

     પ્રાચીનકાળમાં આ નદી ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી.મહાભારત અને પદ્મપુરાણમાં એક ‘પર્ણાશા’ નદી નોંધાઈ છે. ભીષ્મપર્વમાં એ ‘પર્ણાશા’ છે. આ પર્ણાશા એ સ્પષ્ટ હાલની બનાસ છે.

भारतवर्षस्थनदीपर्वतदेशानां विस्तरेण कथनम् ॥ 1 ॥
 वे लोग यहां की जिन बड़ी-बड़ी नदियों के जल पीते हैं, उनके नाम बतात हुं, सुनिये

सुनसां तमसां दासीं वसामन्यां वराणसीम् ।
नीलां धृतवतीं चैव पर्णाशां च महानदीम् ॥ 6-9-31। ( ભીષ્મ પર્વ )

सुनसा, तमसा, दासी, वसा, वराणसी, नीला, धृतवती, महानदी पर्णाशा राजन्! ये तथा और भी बहुत-सी नदियां हैं। 

वरुणस्यत्मजो वीरः स तु राजा श्रुतायुधः।
पर्णाशाजननी यस्य शीततोया महानदी॥ 7-92-44 ( દ્રોણ પર્વ )

वरुण देव ने जैसा कहा था, युद्ध भूमि में श्रुतायुध की उसी प्रकार मृत्‍यु हुई। वे सम्‍पूर्ण धनुर्धरों के देखते-देखते प्राणशून्‍य होकर पृथ्‍वी पर गिर पड़े।गिरते समय पर्णाशा के प्रिय पुत्र श्रुतायुध आंधी के उखाड़े हुए अनेक शाखाओं वाले वृक्ष के समान प्रतीत हो रहे थे।

વરસે તો ઘોડાપૂર
બાકી ના મળે નુર.... 

જય લોકમાતા '' બનાસ ''...

- કૃણાલ ભટ્ટ

#Banas

No comments:

Post a Comment

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...